ટંકારા તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કલ્યાણપર ખાતે થશે

- text


મામલતદર દ્વારા ધ્વજવંદન અને પરેડ નિરીક્ષણ થશે

ટંકારા : આગામી તા.૧૫ને સોમવારના રોજ સ્વાતંત્ર્ય દિવસ નિમિતે ટંકારા તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કલ્યાણપર ખાતે થશે અને મામલતદર દ્વારા ધ્વજવંદન કરાશે. આ ઉપરાંત વૃક્ષારોપણ પણ કરવામાં આવશે.

- text

૭૬માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિતે તા.૧૫મી ઓગસ્ટ સોમવારના રોજ સવારે ૯ કલાકે કલ્યાણપર ગામે સહકારી મંડળીના ગોડાઉન ખાતે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કે. જી. સખીયા, ટંકારાના મામલતદાર વરદ હસ્તે યોજાનાર છે.

આ તકે મામલતદાર દ્વારા ધ્વજવંદન, ઉદ્બોધન, પલાટુન નિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને અંતમાં વૃક્ષારોપણ કરાશે.

- text