મોરબી રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા જ્ઞાતીના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ યોજાશે

- text


તા.૧/૯ સુધીમાં ફોર્મ મેળવી તથા પરત કરવા

મોરબી : રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા લોહાણા જ્ઞાતીના વિદ્યાર્થીઓ માટે સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.વિદ્યાથીઓને શિલ્ડ તથા સર્ટીફીકેટ તથા વિવિધ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામા આવશે. ફોર્મ મેળવવા અને પરત કરવા માટેની છેલ્લી તા.૧/૦૯ રાખવામાં આવી છે.

રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તાઃ ૧૧/૯ના રોજ લોહાણા જ્ઞાતીના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન મોરબી ખાતે સરસ્વતિ સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવેલ છે. જેમા ધો.૯ અને તેથી ઉપરના વિદ્યાથીઓને શિલ્ડ તથા સર્ટીફીકેટ તથા વિવિધ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામા આવશે.

પ્રમુખ સુનીલભાઈ ચંદારાણાના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તા.૧.૦૯.૨૦૨૨ રાખવામા આવેલ છે.

- text

ફોર્મ મેળવવા તથા પરત આપવા માટેના સ્થળો મનોજ ઝેરોક્ષ, કુબેરનાથ મંદીર વાળી શેરી, મોરબી ખાતે,દરીયાલાલ આલુ ભંડાર, નવા ડેલા રોડ, મોરબી ખાતે, કેવીન ગેસ સેલ્સ એન્ડ સર્વિસ, નવા બસ સ્ટેન્ડની સામેનો સંપક કરવો.

આ સન્માન સમારોહ તા.૧૧.૦૯.૨૦૨૨ને રવિવાર ના રોજ લોહાણા વિદ્યાર્થી ભુવન, વસંત પ્લોટ, મોરબી ખાતે યોજવામા આવશે. તથા વધુ માહીતી માટે પ્રમુખ સુનીલભાઈ ચંદારાણાના તથા પ્રોજેકટ ચેરમેન રવિભાઇ કોટેચાનો સંપક કરવો. તેવું રઘુવંશી યુવક મંડળની યાદી જણાવે છે.

- text