મોરબીમાં ગળેફાંસો ખાઈ લેતા પરિણીતાનું મૃત્યુ

- text


મોરબી : મોરબી શહેરમાં ઈન્દીરાનગર ખારા પટમાં રહેતા જીતુબેન ઉર્ફે જીવતીબેન ઉમેશભાઈ વાઘેલા, ઉ.35 નામની પરિણીતાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર સાડી વડે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text