ઓખા, હાપા અને સોમનાથથી ઉપડતી ટ્રેનને વાંકાનેર સ્ટોપેજ આપવા મોરબી ચેમ્બરની માંગ

- text


મોરબી: ઓખા, હાપા અને સોમનાથથી ઉપડતી તમામ ટ્રેનોને તાત્કાલિક અસરથી વાંકાનેર જંકશન પર અપ અને ડાઉન ટ્રેનોનું સ્ટોપેજ આપવા મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજકોટ વિભાગના ડીવીઝન રેલ્વે મેનેજરને રજુઆત કરાઈ છે.

મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખે કરેલી રજુઆતમાં જણાવાયું છે કે, પ્રવાસી જનતાએ અમારો સંપર્ક કર્યો અને ઓખા, હાપા, સોમનાથથી વાંકાનેર જંકશન પર બંને દિશામાં તમામ ટ્રેનોના સ્ટોપેજ માટે રજુઆત કરી છે. વાંકાનેર જંકશન એ મોરબી જીલ્લાની જનતા પ્રવાસ માટેનું મુખ્ય સ્ટેશન છે. તેથી તાત્કાલિક અસરથી બંને દિશામાં તમામ ટ્રેનોના સ્ટોપ આપવા અત્યંત જરૂરી છે.

- text

આ ઉપરાંત માળીયા એક જંકશન છે અને ત્યાંથી કેટલીક ટ્રેનો પસાર થાય છે. આવી ટ્રેનોને માળીયા જંકશન પર સ્ટોપેજ આપવું જોઈએ.

- text