વાંકાનેરમાં રવિવારે મધર ડે નિમિતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન

- text


વાંકાનેર : દેવદયા ડાયગ્નોસ્ટિક સેન્ટર (બંધુસમાજ વાંકાનેર ) દ્વારા મધર ડે નિમિતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ રોગના નિષ્ણાંતો સેવા આપશે.

દેવદયા ડાયગ્નોસ્ટિક સેન્ટર (બંધુસમાજ વાંકાનેર ) દ્વારા તા.8ને રવિવારના રોજ મધર ડે નિમિતે સવારે 9 થી 12 કલાકે બંધુસમાજ પ્રતાપ રોડ,વાંકાનેર ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.11:30 સુધી નામ નોંધાશે.

- text

કેમ્પમાં ડો.હેતલબેન ચૌહાણ M.S.( ENT SURGEON ) કાન,નાક,ગળાના સર્જન,ડો.શ્રેણુજ મારવાણીયા M.S.( GENRAL SURGEON ) પેટ,આંતરડા, પિતાશય, પથરી, હરસ, મસા, ભગંદર, કોઈપણ જાતની સારણગાંઠના નિષ્ણાંત,ડો.કિશન હાલપરા ( હાડકાના સર્જન ) હાડકાના ફેક્ચર,સાંધાના દુખાવા,મણકા,ડોક,જૂનો દુ:ખાવો,ગોઠણ થાપાના નિષ્ણાત,ડો.ગાયત્રી રાઠોડ (પટેલ ) ન્યુરો સાઈકિયાટ્રિસ્ટ માથાનો દુખાવો, આધાસીસી ,ચક્કર આવવા, અનિંદ્રા, ઉદાસી ,હતાશા, ગભરામણ વગેરેના નિષ્ણાંત, ડો.પ્રિયંકા વાગડીયા (હોમિયોપેથિક) તાવ,શરદી,ઉધરસ,ઝાડા,ઉલટી,મેલેરિયા,એલર્જી,માથાનો દુખાવો,ચામડીના રોગ વગેરેના નિષ્ણાત સેવા આપશે.વધુ માહિતી મો.9227433282 સંપર્ક કરવો.

- text