‘આપ’ દ્વારા ‘શિક્ષાક્રાંતિ’ અભિયાન હેઠળ બિસ્માર શાળાઓની જાણ પ્રધાનમંત્રીને કરવા વોટ્સઅપ નં. જાહેર

- text


શાળાઓમાં પ્રાથમિક સુવિધાના અભાવને લઈને મોરબીમાં “આપ”ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો હેતુ શાળામાં પડતી અગવડતાઓની વિગત અને વિડિઓ બનાવી પ્રધાનમંત્રી સુધી પહોંચાડવાનો છે.આ માટે વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ,મોરબી જિલ્લા પ્રભારી શિવાજીભાઈ ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાના માર્ગદર્શન હેઠળ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય મુદ્દો દિલ્હીથી પધારેલા શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા જ્યારે ગુજરાતના પ્રવાસ કરી ભાવનગરની અમુક શાળાઓની મુલાકાત કરી અને તે સમયે આમ આદમી પાર્ટી દ્વારા એક વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવ્યો હતો.

જે નંબર પર તમામ કાર્યકર્તાઓ દ્વારા તેના ક્ષેત્રની તમામ શાળાઓની મુલાકાત લઇ અને જે શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ હોય અથવા એ શાળાની બિલ્ડીંગ ખરાબ હોય તો તેમના ફોટા અને વિડીયો બનાવી તે નંબર પર મોકલવા જણાવેલ હતું.જેથી કરી તે તમામ વિગતો આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચાડી શકે.આ પ્રેસ કોન્ફરન્સ પરેશભાઈ પારિયા,મોરબી જિલ્લા મંત્રી ચેતનભાઇ લોરીયા તથા મોરબી શહેર યુવા પ્રમુખ ભવદીપ સિંહ ઝાલાએ સંબોધી હતી.જેમાં મોરબી જિલ્લા ટીમ,મોરબી જિલ્લા સોશિયલ મીડિયા ટીમ તથા કાર્યકર્તાઓ હાજર હતા.

- text

- text