- text
મોરબી : આજ હનુમાન જયંતી નિમિતે મંદિરોમાં હનુમાન જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે.ત્યારે સૂર્યમુખી હનુમાન મંદિરમાં પણ સવારથી હનુમાનજીની આરતી,પ્રસાદ,શણગાર વગેરે જેવા કાર્યક્રમો યોજાણા હતા.
હનુમાન જયંતી નિમિતે સૂર્યમુખી હનુમાન મંદિરે સવારે 6 કલાકે મંગળા આરતી,7 કલાકે શણગાર આરતી,7:30 કલાકે મારુતિ યજ્ઞ તથા વિશ્વશાંતિ મહાયજ્ઞ,10 કલાકે હનુમાનજીની શોભાયાત્રા,બપોરે 12 કલાકે મહાઆરતી અને અણકોટ દર્શન,12:30 કલાકે મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.તેમજ સાંજે 7:15 કલાકે સંધ્યા આરતી કરવામાં આવશે.
- text
- text