સમસ્ત અદેપર ગામ દ્વારા આજે ભજનાંજલિ અને સન્માન સમારોહનું આયોજન

- text


50 જેટલા કર્મચારીઓને સન્માનિત કરાશે

મોરબી : મોરબી જિલ્લાના અદેપર ગ્રામ પંચાયત દ્વારા ભજનાંજલિ અને નિવૃત કર્મચારીઓના તથા હાલ ફરજ બજાવતા કર્મચારીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 50 જેટલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે.

અદેપર સરપંચ જનકસિંહ ઝાલા, ઉપસરપંચ વેલજીભાઇ પટેલ તેમજ સમસ્ત ગામ દ્વારા સ્વતંત્રતા સંગ્રામના શહીદો માટે ભજનાંજલિ તથા કર્મચારીઓનો સન્માન સમારોહ – 2022નું તા.13ને બુધવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.અદેપર ગામના માજીસરપંચ,નિવૃત કર્મચારીઓ,હાલના ફરજ બજાવતા કર્મચારીઓ,તમામ નિવૃત શિક્ષકો, આચાર્યો, આંગડવાડીના નિવૃત કર્મચારીઓ વગેરે 50 જેટલા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત સ્વતંત્રતા સંગ્રામના શહીદો માટે ભજનાંજલિનું રાત્રે 10 કલાકે આયોજન કરી તેઓની યાદમાં ભજનના શૂર લહેરાવવામાં આવશે.

- text

- text