મોરબીના લખધીરવાસ ચોકમાં શ્રીમદ ભાગવત સપ્તાહનુ ભવ્ય આયોજન

- text


મોરબી : શહેરના લખધીરવાસ ચોકમાં સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

- text

શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન પ્રદ્યુમનસિહ ખુમાનસિંહ ઝાલા(પદુભા) દ્વારા કરવામાં આવ્યું છે. કથાનો પ્રારંભ 24 એપ્રિલને રવિવારથી થશે. 30 એપ્રિલને શનિવાર સુધી દરરોજ સાંજે 3 થી 7 કલાક દરમિયાન પૂજ્ય શ્રદ્ધેય નિખિલભાઇ જોશી વ્યાસપીઠ પર બિરાજમાન થઇ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથા લખધીરવાસ ચોક, વાંકાનેર દરવાજા પાસે, મોરબી ખાતે યોજાશે. આ કથાનો સર્વે ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને લાભ લેવા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે વિમલભાઈ દવે મો.નં.98792 76569 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text