વટેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શનિવારે રામામંડળ રમાશે

- text


મોરબી : મોરબીના વાવડી રોડ પર આવેલી સંતકબીર વાટીકા સોસાયટીમાં વટેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે તા. 12/03/2022 શનિવારે રામામંડળ રમાશે.

મોરબીના નાની વાવડી રોડ પર સમજુબા વિદ્યાલય પાછળ આવેલી સંતકબીર વાટીકા સોસાયટીમા શનિવારના રોજ રામદે ગૌશાળા મંડળ-લુશાળા, તા.વંથલીનુ પ્રખ્યાત રામામંડળ રમાશે.

- text

સાંજે 5 વાગ્યે કબીર આશ્રમ વાવડી રોડથી શોભાયાત્રા/સામૈયા નીકળશે.તથા રામાપીરના પાઠ રાત્રે 9 વાગ્યે વટેશ્વર મહાદેવ મંદિરે રાખવામાં આવ્યા છે. તેથી સર્વે ધર્મપ્રેમી જનતાને આ તકનો લાભ લેવા બહાદુરભાઈ ડાંગર તથા વાટીકા સોસાયટી મિત્ર મંડળ તરફથી અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે
9879293247 પર સંપર્ક કરવો.

- text