મોરબી જિલ્લો બે દિવસ જ કોરોનામુક્ત રહ્યો : આજે નવા ત્રણ કેસ નોંધાયા

- text


મોરબી : મોરબી જિલ્લો માત્ર બે દિવસ જ કોરોનામુક્ત રહ્યો છે. આજે નવા ત્રણ કેસ નોંધાયા છે. આ ત્રણેય કેસ મોરબી ગ્રામ્યના જ છે.

- text

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના નવા કેસો આવવાના બંધ થઈ ગયા હતા. બાદમાં તમામ એક્ટિવ કેસ પણ રિકવર થઈ જતા ગત તા.9ના રોજ મોરબી જિલ્લો કોરોના મુક્ત થઈ ગયો હતો. પણ આજે ફરી મોરબી જિલ્લામાં કોરોનાના કેસ નોંધાતા જિલ્લા ઉપરથી કોરોના મુક્ત હોવાનું લેબલ હટી ગયું છે. આજે નોંધાયેલા ત્રણેય કેસ મોરબી ગ્રામ્યના હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.

- text