નવરંગ નેચર ક્લબ દ્વારા રવિવારે ઓર્ગેનિક દ્રાક્ષ અને ફૂલછોડનું રાહત દરે વિતરણ

- text


મોરબી : નવરંગ નેચર ક્લબ-રાજકોટ દ્વારા મોરબીમાં રવિવારે ઓર્ગેનિક દ્રાક્ષ અને ફૂલછોડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.આ ઉપરાંત ખાતર,પ્યોર મધ,દેસી ઓસડિયા,માટીની વસ્તુઓ વગેરે રાહત દરે વિતરણ કરવામાં આવશે.

નવરંગ નેચર ક્લબ-રાજકોટ દ્વારા ઓર્ગેનિક દ્રાક્ષ (૧ કિલોના રૂ.૮૦), પૂઠાં ના ચકલીઘર (રૂ. ૫), ફૂલછોડનું રાહત દરે આગામી તા.13ને રવિવારના રોજ સવારે 8:30 થી બપોરના 1 વાગ્યા સુધી ઉમિયા સર્કલ પાસે, મહાદેવ મંદિર પાસે, મોરબી ખાતે રાહત દરે વિતરણ કરવામાં આવશે.વઢવાણ તાલુકાના શાંતિભાઈ પટેલે પોતાની વાડીમાં ઓર્ગનીક દ્રાક્ષ ૨ એકરમાં વવેલ છે,તે પોતાની દ્રાક્ષ લઈને વેચવા આવશે.

- text

આ ઉપરાંત અળસિયાનું ખાતર અને કોકોપીટનું ખાતર,પ્યોર મધ,હાથે ખાંડેલ દેસી ઓસડિયા,માટીના કુંડા,તાવડી,દેસી હાથ ઘડાવ માટીના પાટિયા,રસોડાને ઉપયોગી લાકડાની વિવિધ ચીજવસ્તુઓ,વિવિધ જાતના કઠોળ,વિવિધ જાતના શાકભાજીના બિયારણો,પાપડ,વિવિધ જાતના ફૂલછોડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.વધુ માહિતી માટે લવજીભાઈ પ્રજાપતિ – મોરબી મો. ૯૯૨૫૩૬૯૪૬૫,વી.ડી.બાલા, પ્રમુખ, નવરંગ નેચર ક્લબ – રાજકોટ મો.૯૪૨૭૫૬૩૮૯૮ પર સંપર્ક કરવો.

- text