મોરબીના બગથળા આઉટ પોસ્ટ ખાતે જિલ્લા પોલીસવડાનો લોકદરબાર યોજાશે

- text


આગામી તા.15 માર્ચના રોજ યોજાનારા લોકદરબારમાં ઉધોગપતિઓ, સરપંચ, સામાજિક આગેવાનો હાજર રહેવા અનુરોધ

મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા આગામી તા.15માર્ચના રોજ મોરબી તાલુકાના બગથળા આઉટ પોસ્ટ પોલીસ ચોકી ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

જિલ્લા પોલીસવડા કચેરીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા.15માર્ચના રોજ બગથળા ખાતે આવેલ આઉટ પોસ્ટમાં સાંજે 5 વાગ્યે જિલ્લા પોલીસવડાની આગેવાની હેઠળ લોકદરબાર રાખવામાં આવ્યો છે.જેથી તમામ ઉધોગપતિઓ, સરપંચ, સામાજિક આગેવાનોને લોકદરબારમાં હાજર રહેવા અનુરોધ કરાયો છે. આ લોકદરબારમાં નાગરિકો લેખિત મૌખિક સ્વરૂપે પોલીસ ખાતાને લાગતી રજૂઆત અને સૂચનો પણ કરી શક્શે.

- text