સદગતની સ્મૃતિમાં માણેકવાડા પ્રા. શાળાને બે સ્માર્ટ ટી.વી.અર્પણ કરતો ચનિયારા પરિવાર

- text


 

મોરબી : મૂળ માણેકવાડા ગામના અને હાલ મોરબી રહેતા દિલેર દાતા મહાદેવભાઇ ચનીયારાએ માણેકવાડા પ્રાથમિક શાળાને પરિવારજનોની સ્મૃતિમાં સ્માર્ટ ટીવી અર્પણ કરી અનોખી મિસાલ રજૂ કરી છે.બાળકોને ટેકનોલોજી સાથેનું શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી આ અનોખી ભેટ આપી છે.

- text

મહાદેવભાઈના પત્ની સ્વ. મંજુલાબેનની સ્મૃતિમાં શાળાના પ્રાર્થનાખંડ માટે બીપીએલ કંપનીનું 50 ઇંચ ડિસ્પ્લે ધરાવતું સ્માર્ટ ટીવી ગત તા.12ના રોજ અર્પણ કરેલ. તેમજ મહાદેવભાઈના પુત્રનું અવસાન થતાં તેમની સ્મૃતિમાં ઉચ્ચતર પ્રાથમિકમાં અભ્યાસ કરતા બાળકો માટે અન્ય એક વધારાનું 32 ઇંચનું સ્માર્ટ ટીવી ગત તા.19ના રોજ ભેટ આપી અનેરૂ દાન કર્યું છે.આ તકે માણેકવાડા પ્રાથમિક શાળા પરિવારે દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text