વાંકાનેરમાં કોરોના દર્દીઓ માટે લાડલા ટ્રાવેલ્સે શરુ કરી ફ્રિ સેવા

- text


વાંકાનેર : સરકાર દ્વારા કોરોના દર્દીઓને દવાખાને પહોંચાડવા એમ્બ્યુલન્સ,અંતિમ સંસ્કાર માટે શબવાહિની સેવા પુરી પાડવામાં આવે છે.ત્યારે લોકોને મદદરૂપ બનવાના આશયથી વાંકાનેરમાં લાડલા ટ્રાવેલ્સ દ્વારા કોરોના દર્દીઓને દવાખાને પહોંચાડવા અને મૃત વ્યક્તિને અંતિમ સંસ્કાર માટે સ્મશાન કે કબ્રસ્તાન લઈ જવા ફ્રિ સેવા શરુ કરવામાં આવી છે.

વાંકાનેરના લાડલા ટ્રાવેલ્સે દર્દીઓને દવાખાને પહોંચાડવા અને મૃત વ્યક્તિને અંતિમ સંસ્કાર માટે સ્મશાન કે કબ્રસ્તાન લઈ જવા માટે ફ્રિ સેવા શરુ કરી છે.કોઈ પણ જાતના ભેદભાવ વગર લાડલા ટ્રાવેલ્સ દ્વારા આ સેવા ની:શુલ્ક પુરી પાડવામાં આવશે.લાડલા ટ્રાવેલ્સે શરુ કરેલ સેવાનો લાભ લેવા સાહિલભાઈ ઠાસરીયા મો.99983 63114,90339 63114 પર સંપર્ક કરવો.

- text

- text