ખાખરેચી પાંજરાપોળ દ્વારા મકરસંક્રાતિ નિમિત્તે અનુદાન આપવા અપીલ

- text


માળીયા (મી.) : માળીયા (મી.)ની ખાખરેચી પાંજરાપોળ દ્વારા જીવદયાપ્રેમીઓને મકરસંક્રાતિ નિમિતે યથાશક્તિ અનુદાન આપવા અપીલ કરવામાં આવેલ છે.

માળીયા (મી.) તાલુકાના ખાખરેચી ગામની પાંજરાપોળ ખાતે અશક્ત, વૃદ્ધ, અકસ્માતમાં ઇજાગ્રસ્ત તેમજ નધણીયાતા પશુઓની જીવદયાનુ કામ છેલ્લા 130 વર્ષથી અવિરતપણે ચાલુ છે. તેમજ ખાખરેચી પાંજરાપોળમાં આવા 520 પશુઓનો નિભાવ થઇ રહ્યો છે. આ પશુઓને નિભાવવા જરૂરી ઘાસચારા તથા દવા-દારૂના ખર્ચ માટે નાણાકીય સહાયની ખાસ આવશ્યકતા છે.

તો મકરસંક્રાતિ પર્વ પર ખાખરેચી પાંજરાપોળને યથાશક્તિ દાન આપીને વિશેષ પુણ્યનું ભાથુ બાંધવા અપીલ કરવામા આવેલ છે. તેમજ મોરબી શહેરમાં મકરસંક્રાતિના દિવસે ધર્મપ્રેમી જનતા તરફથી દાન મેળવવા વિવિધ સ્થળોએ સ્ટોલ રાખવામાં આવેલ છે તો આ સ્ટોલ પર જઇને દાન આપીને તથા અન્ય લોકોને દાન આપવા પ્રોત્સાહિત કરવા ખાખરેચી પાંજરાપોળની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text