મોરબીમાં પોલીસ જવાનોએ ટ્રાફિકને નડતરરૂપ માટીનો ઢગલો દૂર કરાવ્યો

- text


મોરબીમાં પોલીસ જવાનોએ ટ્રાફિકને નડતરરૂપ માટીનો ઢગલો દૂર કરાવ્યો

મોરબી : મોરબીમાં શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે હાલ રવાપર રોડનું કામ ચાલુ હોય ત્યારે કેનાલ પાસે ઘણા સમયથી ખાડા પડી ગયેલા છે. આ સાથે ટ્રાફિકને નડતરરૂપ માટીનો ઢગલો પણ હતો. ફરજ પરના ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ નાગદાનભાઈ ગઢવીએ લોડર બોલાવીને માટીના ઢગલા રસ્તા ઉપરથી અલગ કરીને ખાડા બુરાણ કરેલ હતું. આ સાથે ભારે વાહનની અવર જવર બંધ કરેલ છે. ભારે વાહન માટે ડાયવર્ઝન શરૂ કરેલ છે. જે શનાળાથી રફાળેશ્વર જવા માટે ડાયવર્ઝન સૂચન બોર્ડ પણ લગાવેલ છે. તેમ સામાજીક કાર્યકર અબ્દુલભાઈ બુખારીની યાદીમાં જણાવાયું છે.

- text

- text