હમીરપર ગામે દિવંગતોના મોક્ષાર્થે અખંડ રામધૂન યોજાઈ

- text


ટંકારા : ટંકારાના હમીરપર ગામે આ વર્ષે મુત્યુ પામેલ 21 ગ્રામજનોની આત્માના મોક્ષાર્થે એક દિવસની અખંડ રામધૂન યોજવામાં આવી હતી.

આ વર્ષે કોરોનાની બીજી લહેર દરમિયાન એપ્રિલ મહિનામાં આકાશી આફતની માફક ગામોગામ અનેક પરીવારનો માળો વિખાઈ ગયો હતો. ત્યારે ટંકારાના હમીરપર ગામ સમસ્ત દ્વારા કોરોના કાળમાં મુત્યુ પામેલ 21 સ્વજનોના મોક્ષાર્થે સમાજવાડી ખાતે એક દિવસના અખંડ રામનામ જપ યજ્ઞનું આયોજન કર્યું હતું. અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text