મોરબીમાં રામધન આશ્રમમાં રામદેવપીર તથા પ્રધાનમંત્રીના જન્મદિનની ઉજવણી

- text


મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમમાં રામદેવપીર તથા પી.એમ. નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીના રામધન આશ્રમ ખાતે ભાવેશ્વરી માંના સાનિધ્યમાં ભાદરવી અગિયારસના દિવસે રામદેવપીરના જન્મોત્સવ નિમિતે યજ્ઞ-નેજા ઉત્સવ, બપોરે વિદ્યુતનગરના ભક્તો દ્વારા ઠાકર પૂજા અને રાસ તેમજ રાત્રે પાટ, પ્રસાદ અને ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા, મનસુખભાઇ આદ્રોજા, સરપંચ રાજાભાઈ, રાજુભાઈ, જયંતીભાઈ આદ્રોજા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે મંદિરે સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમ મુકેશ ભગતે જણાવ્યુ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text