હોટલ, રીસોર્ટ, રેસ્ટોરન્ટ અને વોટરપાર્કને પ્રોપર્ટી ટેક્ષ અને વીજળીનું ફિક્સ બીલ નહિ ભરવુ પડે

- text


કોરોનાકાળને ધ્યાને લઈને રાહત જાહેર કરતી રાજ્ય સરકાર

મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્કને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં આ તમામને પ્રોપર્ટી ટેક્ષ અને ફિક્સ વીજબીલમાંથી મુક્તિ આપી છે.

- text

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ, 2021 થી 31 માર્ચ, 2022 સુધીના એક વર્ષના સમય માટે હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્કસને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે.

કોરોના સંક્રમણના આ કાળમાં મુખ્યમંત્રીએ હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને આ નિર્ણયથી મોટી આર્થિક રાહત આપી છે.

- text