વાંકાનેરમાં ઓક્સિજનના બાટલા અને કીટ વિતરણ કરવાનો સેવાયજ્ઞ

- text


ઑક્સિજનની જરૂરિયાત ધરાવતા દર્દીઓને લાભ લેવા અનુરોધ

વાંકાનેર : કોરોનાના કહેર સામે જિંદગી બચાવવા માટે ઝઝૂમતા દર્દીઓની વ્હારે અનેક દાતાઓ આવી રહ્યા છે. આવી જ રીતે વાંકાનેરમાં પણ ઓકિસજનની અછત હોય દાતાઓ દ્વારા ઓકિસજનના બાટલા વિતરણ કરવાનો સેવાયજ્ઞ શરૂ કરાયો છે.

- text

વાંકાનેર જીનપરા જકાત નાકા પાસે હાલની કોરોના મહામારીમાં સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવી છે. જેમા કોરોના દર્દીઓને જરુરી ઓક્સિજન બાટલા અને ઓક્સિજન માસ્ક કીટનુ વિતરણ કરવામા આવશે. લાભ લેનારે પોતાની સાથે કોરોનો દર્દીનુ આધાર કાર્ડ તથા કોરોનો રીપોર્ટની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે.વધુ વિગત માટેસરફરાજ મકવાણા મોનં-90333 33090, અમીત સોલંકી મો.નં-81281 24950, પાર્થગીરી ગોસ્વામી મો.નં-63527 87387 તેમજ ધર્મેશ રાજપુત મો.નં. 97240 77767નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

- text