માટેલમાં ખોડીયાર માતાજી મંદિર 30મી સુધી બંધ

- text


વાંકાનેર : સુપ્રસિદ્ધ માટેલનું ખોડિયાર માતાજીનું મંદિર તા.19 થી 30 સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ કોરોનાના કેસો વધી રહ્યા છે. અહીં મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગળની પરિસ્થિતિને ધ્યાને રાખી 30મી પછીનો નિર્ણય લેવાશે. તેમ જણાવાયું છે.

- text