મોરબીમાં નવયુગ ગ્રૂપ દ્વારા પાટીદાર કોરોના કેર સેન્ટરને રૂ. 2.51 લાખનું અનુદાન

- text


કોરોનાના કપરાકાળમાં દાતાઓ તરફથી વહેતો સહાયનો ધોધ

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે ખૂબ વધી રહ્યું છે. ત્યારે મોરબીમાં ઓક્સિજન વાળા બેડના અભાવે કોઈને સારવારમાં વધુ તકલીફ ન પડે તે માટે પાટીદાર કોરોના કેર સેન્ટર – જોધપર ખાતે ઓક્સિજન વાળા 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરેલ છે. તે અનુસંધાને નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન મોરબીના પ્રમુખ પી. ડી. કાંજીયા દ્વારા રૂ. 2,51,000 નું અનુદાન આપવામાં આવેલ છે.

- text

મોરબી જિલ્લો આર્થિક રીતે સુખી સંપન્ન છે. તો હાલની આ કોરોના સંક્રમણની કપરી પરિસ્થિતિમાં ઉદ્યોગપતિઓ તેમજ આર્થિક સદ્ધર વ્યક્તિઓ આવા સેવાકાર્યમાં આગળ આવીને લોકોને ઉપયોગી થાય એવી અપીલ પણ કરવામાં આવી છે.

- text