મોરબી : લૂંટ કેસના આરોપીઓએ કન્સ્ટ્રક્શનના ધંધાર્થીને પણ કર્યા’તા ટાર્ગેટ

- text


કન્સ્ટ્રક્શનના ધંધાર્થીએ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

મોરબી : મોરબીના નવલખી બાયપાસ વિસ્તારમાં બનેલી લૂંટની ઘટનામાં પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં મંગળવારે વધુ એક ફરિયાદ નોંધાઇ હતી.

- text

જેમાં મોરબીના રવાપર રોડ પર સદગુરુ સોસાયટી વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા ભરતભાઈ કાનાભાઈ ચાવડા ગત શુક્રવારે રાત્રે નવલખી બાયપાસ વિસ્તારમાંથી નીકળતા હતા. ત્યારે આરોપીઓએ અચાનક ધસી આવી તેની કાર પર હુમલો કર્યો હતો અને ભરતભાઈને છરી બતાવી જે પણ મુદામાલ હોય તે આપી દેવાનું કહી લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે આરોપીઓ લૂંટ ચલાવી શક્યા નહતા. આ બનાવમાં તાલુકા પોલીસે આરોપી આસિફ રહીમ સુમરા, આફતઅલી જાકમભાઈ અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી છે. આ બનાવ અંગેની તપાસ તાલુકા પી.આઈ. એમ. આર. ગોઢાણીયા ચલાવી રહ્યા છે.

 

- text