મોરબીમાંથી સુરેન્દ્રનગર સબ જેલનો જામીન ઉપર છૂટી ફરાર થયેલો કેદી ઝડપાયો

- text


મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે સુરેન્દ્રનગર સબ જેલમાંથી વચગાળાના જામીન ઉપરથી છૂટીને નાસતા ફરતા આરોપી હાજીભાઈ અકબરભાઈ માણેક ઉ.વ. 21 નામના શખ્સને મોરબીના ગાંધી ચોક ખાતેથી પકડી પાડી તેને સુરેન્દ્રનગર જેલમાં પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી પોલીસના જણાવ્યા મુજબ મોરબી પોલીસ અધિક્ષક મોરબી એસ.આર.ઓડેદરા સાહેબએ પેરોલ ફર્લો, વચગાળા, પોલીસ જાપ્તા, જેલ ફરાર આરોપીઓને પકડી પાડવા અંગે વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટરને સુચના આપતા એન.બી.ડાભી પો.સબ.ઇન્સ.એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. જયવંતસિંહ ગોહીલ તથા સહદેવસિંહ નિરૂભા જાડેજાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે સુરેન્દ્રનગર સીટી એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં.૧૨૭/૨૦૨૦ આઇ.પી.સી. કલમ-૩૭૯ ના કામે ચોરીના ગુનામાં સુરેન્દ્રનગર સબ જેલમાંથી તા.૩૦/૦૩/૨૦૨૦ થી તા.૩૧/૧૨/૨૦૨૦ સુધીના વચગાળાના જામીન મેળવી ફરાર થયેલ આરોપી હાલે મોરબી ગાંધીચોક પાસે ઉભેલ હોવાની ચોકક બાતમી હકિકત આધારે પેરોલ ફર્લો સ્કોડા મોરબીની ટીમે તપાસ કરતા સુરેન્દ્રનગર સબ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ચોરીના ગુનાનો આરોપી હાજીભાઇ અકબરભાઇ માણેક ઉ.વ. ૨૧ રહે. હાલ મોરબી બોરીયાવાસ જેલચોક યદુનંદન ગૌશાળાની બાજુમાં વાળાને પકડી સુરેન્દ્રનગર સબ જેલમાં મોકલવા તજવીજ હાથ ધરી હતી.

- text

આ કામગીરી વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર, શ્રી એન.બી.ડાભી પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એ.એસ.આઇ, એચ એમ. ચાવડા, રસીકભાઇ ચાવડા, તથા પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, ચંન્દ્રકાંતભાઇ વામજા, જયવંતસિંહ ગોહીલ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, પો.કોન્સ.બ્રિજેશભાઇ કાસુન્દ્રા વિગેરેનાઓ દ્વારા કરવામાં આવી હતી.

- text