મોરબીના જોધપર ગામે વૃદ્ધનું પડી જવાથી સારવાર દરમ્યાન મોત

- text


 

મોરબી : મોરબીના જોધપર ગામે વૃદ્ધનું પડી જવાથી સારવાર દરમ્યાન મોત હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જોધપર નદી ગામે રહેતા વિનોદભાઇ દેવાભાઇ સુરેલા (ઉ.વ.૬૫) નામના વૃદ્ધ ગત તા.૧ ના રોજ રાત્રીના સમયે જોધપર રફાળેશ્વર રોડ કેનાલના પુલ નજીક કોઇ કારણોસર પડી જતા શરીરના ભાગે ગંભીર પ્રકારની ઇજા થતા તેમને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text