મોરબી: લીલાપર આવાસ યોજના કવાટર્સમાં યુવાન પર છરી વડે હુમલો: બનાવનું કારણ અકબંધ

- text


ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો: ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ

મોરબી: શહેરના લીલાપર રોડ સ્થિત આવાસ યોજનાના કવાટર્સ નજીક ગત મોડી રાત્રે એક યુવાન પર છરીના ઘા ઝીંકી ઘાયલ કરાતા ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાતા મોરબી સીટી એ.ડીવી.નો પોલીસ સ્ટાફ ઘાયલ યુવાનની ફરિયાદ નોંધવા રાજકોટ ખાતે દોડી ગયો છે.

- text

એ.ડીવી.પો. સ્ટે.માંથી બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના લીલાપર રોડ સ્થિત આવાસ યોજનાના કવાટર્સ નજીક એક યુવકને છરીના ઘા ઝીંકાતા ઘાયલ યુવાનને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો છે. હોથીપીરની દરગાહ પાસે રહેતા 31 વર્ષીય ઇકબાલ રજાકભાઈ કાસમાણી ગત મોડી રાત્રે 2:30 વાગ્યાના અરસામાં ક્વાર્ટરના બ્લોક નંબર બી-14 નજીક હતો ત્યારે તેના મિત્રએ જ કોઈ કારણવશ ઇકબાલને છરીના ઘા ઝીંકી દીધા હતા. ઘાયલ યુવકને સૌ પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલે ખસેડયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સ્થિત હોસ્પિટલે ખસેડાતા એ.ડીવી.પો. સ્ટે.ના હેડ. કોન્સ. એમ.જી. વાળા યુવાનની ફરિયાદ નોંધવા રાજકોટ દોડી ગયા છે. ફરિયાદ નોંધાયા બાદ હુમલાનું કારણ બહાર આવશે. પોલીસે હાલ તો હુમલાખોર શખ્સ વિશે માહિતી મેળવી તેને ઝડપી લેવાની કવાયત આદરી છે.

- text