મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહના ફોર્મનું વિતરણ શરૂ

- text


તા. 31 ડિસેમ્બર સુધીમા ફોર્મ જમા કરાવવા અનુરોધ

મોરબી : પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી દ્વારા લોહાણા સમાજના ધો-૯ તથા ઉપરના ધોરણના વિદ્યાર્થીઓ માટે આગામી સમયમા શ્રી સરસ્વતી સન્માન સમારોહનુ આયોજન કરવામા આવેલ છે. જેમા દરેક ધોરણના પ્રથમ તથા દ્વિતિય ક્રમાંક મેળવનારને સન્માનિત કરી ઈનામથી પુરસ્કૃત કરવામા આવશે.

- text

આ ફોર્મ મેળવવા માટે મનોજ ઝેરોક્ષ કોપી સેન્ટર (કુબેરનાથ રોડ, મોરબી), દરિયાલાલ આલુ ભંડાર (નવાડેલા રોડ, મોરબી), કેવિન ગેસ સેલ્સ એન્ડ સર્વિસ (નવા બસ સ્ટેન્ડ સામે) તથા જમા કરાવવા માટે મનોજ ઝેરોક્ષ કોપી સેન્ટર (કુબેરનાથ રોડ, મોરબી)નો સંપર્ક કરવા યાદીમા જણાવ્યુ છે. ફોર્મ સ્વીકારવાની છેલ્લી તા. ૩૧-૧૨-૨૦૨૦ હોય, તે પહેલા દરેક વિદ્યાર્થી ભાઈઓ-બહેનો એ ફોર્મ જમા કરાવવા અનુરોધ કરાયો છે. કોવિડ-૧૯ની મહામારીને પગલે કાર્યક્રમ વિશે ટેલિફોનીક જાણ કરવામા આવશે તેમ શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબીની યાદીમા જણાવાયું છે.

- text