મોરબી નજીક મચ્છુ નદીમાં માછીમારી વખતે ડૂબી જવાથી યુવાનનું મોત

- text


ગત તા.1 ના રોજ બનેલા આ બનાવમાં ગઈકાલે યુવાનની નદીમાંથી કોહવાયેલી લાશ મળી આવી

મોરબી : મોરબીના જોધપર ગામ નજીક મચ્છુ નદીમાં માછીમારી વખતે ડૂબી જતાં યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું.આ બનાવ ગત તા.1 ના રોજ બન્યો હતો.ત્યારે ગઈકાલે આ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાયેલી લાશ મળી આવતા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના જોધપર નજીક મચ્છુ નદીમાંથી એક યુવાનની ગઈકાલે તા.4 ના રોજ કહોવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને લાશને પીએમ અર્થે ખસેડીને તપાસ હાથ ધરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગરમાં ભાડે મકાનમાં રહેતા રાજુભાઇ શિવજીભાઈ કિર ઉ.વ.40 નામનો મારવાડી યુવાન હોવાની ઓળખ મળી હતી.પોલીસની વધુ તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે ,આ યુવાન ગત તા.1 ના રોજ પોતાની જી.જે.36 કયું 5310 રીક્ષા લઈને જોધપર પાસે ફેરા કરવા ગયો હતો.ત્યારે મચ્છુ નદીમાં માછીમારી કરવા પડ્યો હતો અને તેનું નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું.તાલુકા પોલીસે આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- text