મોરબીના કન્યા છાત્રાલય રોડ પર પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ

- text


મોરબી : મોરબી શહેરમાં કન્યા છાત્રાલય રોડ ઉપર ચિત્રકૂટ સોસાયટી, ક્રિષ્ના પાર્ક સહિતના વિસ્તારોની અંદર ચોમાસામાં વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો વારંવાર સર્જાતા હોય છે. ત્યારે આજે પાણીનો નિકાલ કરવા માટે મોરબી નગરપાલિકાના પ્રમુખ સહિત કાઉન્સીલરો દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ મોરબીના વોર્ડ નંબર 8 અને 9 ના વિસ્તારોમાં ગટરો સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના પ્રમુખ કેતન વીરપરા વોર્ડ નંબર 8 ના કાઉન્સિલર નવીન ઘુમલિયા, વોર્ડ નંબર 9ના કાઉન્સિલર બીપીન દેત્રોજા સહિતના અગ્રણીઓએ સફાઈકર્મીઓ પાસે પાણીનો નિકાલ કરાવ્યો હતો.

- text