મોરબી : બુધવારે નવા 14 કેસ આવ્યા, એકનું મોત થયું અને સાત લોકો સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ

- text


આજના બુધવારના 14 કેસ સાથે મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 150એ પોહચ્યો : જેમાથી 60 લોકો સાજા થયા અને 82 લોકો સારવાર હેઠળ : 8 લોકોના મૃત્યુ થયા

મોરબી : મોરબી જિલ્લામાં બુધવારે કોરોનાના વધુ 14 કેસ નવા જાહેર થયા હતા. તેમજ એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે આજે સાત લોકો સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

- text

મોરબી જિલ્લામાં આજે બુધવારે મોરબી તાલુકામાં 11, હળવદમાં 2 અને એક કેસ ટંકારામાં નોંધાયો હતો. આજે આખા દિવસમાં કુલ 14 કેસ નોંધાયા હતા. જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન રાજકોટ મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ કુલ સાત લોકો સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેમાં મોરબીના વસંત પ્લોટમાં રહેતા 74 વર્ષના પુરુષ, પારેખશેરીમાં રહેતા 85 વર્ષના મહિલા, સિદ્ધિવિનાયક પાર્ક,રવાપર રોડ પર રહેતા 65 વર્ષના પુરુષ, મોરબીના રવાપર ગામમાં રહેતા 50 વર્ષના પુરુષ અને ખરેડા ગામના 58 વર્ષના પુરુષ તથા હળવદમાં વણીયાવાસમાં રહેતા 67 વર્ષના પુરુષ કોરોનામાંથી સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આજના બુધવારના 14 કેસ સાથે મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 150એ પોહચ્યો હતો. જેમાથી 60 લોકો સાજા થઈ ગયા છે અને 82 લોકો સારવાર હેઠળ છે. તેમજ 8 લોકોના મૃત્યુ થયા છે.

 

- text