માળીયા (મી.) ITI ખાતે વૃક્ષારોપણ કરાયું

- text


માળીયા (મી.) : માળીયા (મી.)ની ચાંચાવાદરડા પીપળીયા ચોકડી, માળિયા હાઇવે પાસે આવેલી ITI માળીયા(મીયાણા) ખાતે પ્રકૃતિનું રક્ષણ કરવા અને વરસાદના વધામણા કરવા માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં આઇટીઆઇના પ્રિન્સિપાલ અને સ્ટાફના કર્મચારીઓ દ્વારા 300 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ 100 જેટલા વિવિધ નાના ફુલછોડનું કુંડામાં રોપણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ITI માળીયા (મીયાણા)માં વાયરમેન, કોમ્પ્યુટર, ફિટર અને સીવણને લગતા વિવિધ કોર્સનો અભ્યાસ કરવવામાં આવે છે.

- text