- text
મોરબી : ડો. હસ્તી મહેતાના દવાખાના ખાતે ગઈકાલે તા. 16ના રોજ આરોગ્યપ્રદ અને રોગપ્રતિકારક શક્તિવર્ધક આયુર્વેદિક ઔષધીય ચૂર્ણનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો અનેક પરિવારોએ લાભ લીધો હતો. આ તકે ઔષધીય ચૂર્ણ બનાવીને ફ્રી વિતરણ કરનાર દાતા જયસુખભાઈ પી. ભલોડીયા તેમજ ડૉ. હસ્તી આઇ. મહેતા તથા સહકાર્યકર્તા ચંદ્રલેખા મેહતા, રશ્મિભાઈ દેસાઈ, કૌશિકાબેન રાવલ, કેતનભાઇ મેહતાનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું.
- text