મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્રએ ઊંડા ખાડામાં પડેલી બિલાડીને જીવનદાન આપ્યું

- text


મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાનાભાઈ દાબેલી વાળા કોમ્પ્લેક્સમાં લિફ્ટ માટેના 12 ફૂટના ઊંડા ખાડામાં એક બિલાડી 3 દિવસથી પડી ગઈ હતી. આજે આ ઘટનાની જાણ થતાં કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યો ઉપરોક્ત સ્થળે દોડી ગયા હતા. તેઓને ત્યાં જઈને જોતા ખબર પડી કે 2 માળ જેટલો કચરાનો ઢગલો ખડકાયેલો છે. તેથી, સીડી લઈને ઉતરવું શક્ય નથી. આથી, દોરડા વડે નીચે ઉતરીને બિલાડીને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી. અને બિલાડીને નવજીવન બક્ષવામાં આવ્યું હતું. કેન્દ્રના સભ્યોએ જણાવ્યું હતું કે તેઓ માટે આ બિલાડીના આશીર્વાદથી મોટો કોઈ એવોર્ડ નથી. (કર્તવ્ય જીવદયા કેન્દ્ર – 75748 85747, કર્તવ્ય એનિમલ હેલ્પલાઈન – 75748 68886)

- text