વાંકાનેર : ઉકરાડાની જગ્યામાં મકાન બનાવવાની ના પાડવા મામલે મારામારી, 2ને ઇજા

- text


4 શખ્સો સામે માર માર્યાની ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે ઉકરડા વાળી જગ્યામાં મકાન બનાવવાની ના પાડવા મામલે મારામારી થઈ હતી. જેમાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે 4 શખ્સો સામે માર માર્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી ઇલમુદીનભાઇ ઇબ્રાહીમભાઇ કડીવાર (ઉ.વ. ૪૦, રહે. વાલાસણ, વાંકાનેર) વાળાએ આરોપીઓ સુલતાનભાઇ આદમભાઇ દલપતરા, સમીરભાઇ આદમભાઇ દલપોતરા, સીંકદરભાઇ આદમભાઇ દલપોતરા, સોહીલભાઇ યુનુસભાઇ ઉમરેટીયા (રહે. બધા વાલાસણ, વાંકાનેર) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૩ ના રોજ ફરીયાદીના ઉકરડા વાળી જગયા પર આરોપીએ પોતાનુ રહેણાંક મકાનમાં બનાવવા માગતો હોય. જે અંગે ફરીયાદીએ ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ગાળો બોલી પાઇપ વડે ફરીયાદી તથા સાહેદ સમસુદીન અલીવલીભાઇને માથામાં તથા હાથપગ શરીરના ભાગોએ મારમારી ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text