બહાદુરગઢ ગામે વીજપોલ ઉપર અજાણ્યા યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબીના બહાદુરગઢ ગામે જાહેરમાં વીજપોલ ઉપર ગળેફાંસો ખાધેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. હાલમાં તાલુકા પોલીસ દ્વારા આ ઘટના અંગે તજવીજ હાથ ધરવામાં આવી હતી.

- text

મોરબી તાલુકાના બહાદુરગઢ ગામે મધુપુર ગામના પાટિયા નજીક જાહેરમાં વીજપોલ ઉપર અજાણ્યા યુવકનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યો હતો. આ બનાવની જાણ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલમાં મૃતદેહને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મૃતક ઘુંટુ રોડ ઉપરના સિમ્પોલો સિરામીકનો મજૂર હોવાનું જાણવા મળેલ છે. તાલુકા પોલીસે મૃતકની ઓળખ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે.

- text