નીચી માંડલ, હજનાળી તથા રાજપર ગામમાં સૅનેટાઇઝેશન કરાયું

- text


મોરબી : ગઈકાલે નીચી માંડલ ગામમાં કોરોના વાયરસથી રક્ષણ મેળવવા માટે ગામના જાહેર સ્થળો, રસ્તાઓ તથા શેરીઓમાં સૅનેટાઇઝેશન કરવામાં આવ્યું છે. આ કાર્યમાં સરપંચ નીતિનભાઈ કુંડારીયા, તલાટી મંત્રી બી.પી. કુંડારીયા, મનીષભાઈ માલાસણા સહિતના સ્વયંસેવકો તથા નરેન્દ્રભાઈ દેત્રોજા સહિતના સેવાભાવીઓ જોડાયા હતા.

- text

આ ઉપરાંત, રાજપર ગામના જાગૃત નાગરિક કેશુભાઈ શનાળીયા (સોપારીવાળા) દ્વારા સ્વખર્ચે સમગ્ર ગામમાં સૅનેટાઇઝેશન કરવામાં આવ્યું હતું. તેમજ હજનાળી ગામમાં પણ ગ્રામજનો દ્વારા તમામ સ્થળો, રોડ-રસ્તા અને શેરીઓમાં સૅનેટાઇઝેશન કરવામાં આવ્યું હતું. આથી, અનેક ગામમાં કોરોના વાયરસથી સાવચેતીના પગલાંરૂપે સૅનેટાઇઝેશન કરવામાં આવ્યું હતું.

- text