- text
વાંકાનેર : હાલ લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદોની વ્હારે આવીને મોરબીના વરમોરા સિરામિક ગ્રુપ તથા સનફ્લોરા સિરામિક દ્વારા વાંકાનેરના ભવાનીપરામા રહેતા ચિતોડીયા પરિવારોને 100 અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ વરમોરા સિરામિક અને સનફ્લોરા સીરામીકના પ્રતિનિધિ ચમનભાઈ દેત્રોજાની ઉપસ્થિતિમાં પ્રાંત અધિકારી એન.એફ. વસાવા તથા મામલતદાર આર.આર.પાદરિયાના હસ્તે કરાવવામાં આવ્યું હતું.
- text