મોરબીમાં એસપી ડો.કરનરાજ વાઘેલાએ લોકડાઉનની સ્થિતિનું કર્યું જાત નિરીક્ષણ

- text


એસપીએ ખુદ કાર ચલાવી શહેરમાં સઘન ચેકિંગ કરીને લોકડાઉનનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી

મોરબી : મોરબીમાં આજે લોકડાઉનના ચોથા દિવસે એસપી ડો.કરનરાજ વાઘેલાએ જાતે જ કાર ચલાવીને લોકડાઉનની સમગ્ર પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું.એસપીએ શહેરમાં સઘન ચેકિંગ કરીને લોકડાઉનનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસને સૂચના આપી હતી.

- text

મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાએ આજે જાતે જ કાર ચલાવીને સમગ્ર મોરબીમાં લોકડાઉનની સ્થિતિનું નિરક્ષણ કર્યું હતું.તેમણે મોરબીના સામાકાંઠેથી પેટ્રોલીંગ શરૂ કરીને મોરબી એ ડિવિઝન અને બી ડિવિઝન વિસ્તારમાં સઘન ચેકિંગ કરીને લોકડાઉનની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.એસપીના પેટ્રોલીગમાં એલસીબી પીઆઇ વી.બી.જાડેજા ,એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટાફ જોડાયો હતો અને પોલીસને તેમણે લોકડાઉનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી તેમજ લોકોને પણ ઘરોમાં રહેવાની નહિતર બિનજરૂરી કામે બહાર નીકળશે તો કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે.

- text