વનાળીયામાં રવિવારે નિ:શુલ્ક મેડિકલ નિદાન કેમ્પ

- text


મોરબી : વનાળીયા ગામમાં સ્વ. સુરજબેન તથા સ્વ. વનેચંદભાઈ શાહની પુણ્યતિથિ નિમિત્તે આગામી 5 જાન્યુઆરી રવિવારના રોજ નિ:શુલ્ક મેડિકલ નિદાન કેમ્પનું બાપા સીતારામ ચોક ખાતે સવારે 10થી 12-30 કલાક સુધી કરવામાં આવેલ છે. જેનું ઉદ્ઘઘાટન જયેન્દ્રબાળાબેન મહેતાના હસ્તે કરવામાં આવશે. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીને ત્રણ દિવસની દવા નિ:શુલ્ક આપવામાં આવશે. આયોજકો દ્વારા સર્વે ગ્રામજનોને આ કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે.

- text