મોરબી : શનાળા રોડ પર કાલે બુધવારથી 15 દિવસ નિઃશુલ્ક ઉકાળા વિતરણ

- text


મોરબી : સરકારી આયુર્વેદિક દવાખાનું, જનરલ હોસ્પિટલ મોરબી તથા વૈદ્યસભા B.S.A.M એસોસિએશનના સયુંકત ઉપક્રમે 15 દિવસ માટે નિઃશુલ્ક ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

શનાળા રોડ સ્થિત બી.કે.લહેરુના દવાખાને તારીખ 1 જાન્યુઆરી 2020થી 15 જાન્યુઆરી 2020 સુધી 15 દિવસ દરરોજ સવારે 06:00થી 08:00 દરમ્યાન આયુર્વેદિક ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવનાર છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃક લોકોને આ નિઃશુલ્ક ઉકાળા વિતરણનો લાભ લેવા આયોજકોએ આમંત્રણ આપ્યું છે.

- text