વાંકાનેર : મેઈન્ટેનન્સના કારણે વીજપુરવઠો 26મી સુધી રહેશે અસરગ્રસ્ત

- text


વાંકાનેર : વાંકાનેર પંથકમાં જેટકો દ્વારા મેઈન્ટેનન્સના કામના કારણે 11 કે.વી. ફીડરો પરથી વીજ પુરવઠો મળી શકશે નહીં. જેમાં 66 કેવી ઢુંવા, 66 કેવી માટેલ તથા 66 કેવી જાલિડા સબ સ્ટેશનમા તા.11, 66 કેવી ચોટીલા તથા 66 કેવી દલડી સબ સ્ટેશનમાં તા.12, 66 કેવી સરતાનપર, 66 કેવી લીંબાળા તથા 66 કેવી સતાપર સબ સ્ટેશનમાં તા.18, 66કેવી ઠીકરીયાળી સબ સ્ટેશનમાં તા.19 અને 66 કેવી બામણબોરમાં તા.26ના રોજ સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી પાવર બંધ રહેશે તેમ કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવાયું છે.

- text