મોરબીના બરવાળા ગામે 28 અબોલ પશુઓના ટપોટપ મોત

- text


કોઈએ અબોલ પશુઓને ઝેરી દવા ખવડાવી દીધાની આશંકા : એકસાથે 28 પશુઓના કમોત થતા ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ

મોરબી : મોરબીના બરવાળા ગામે આજે એકીસાથે 28 જેટલા અબુલ પશુઓના ટપોટપ મોત નિપજ્યા હોવાનો કરુણ બનાવ સામે આવ્યો છે. જો કે આ અબોલ પશુઓને કોઈએ ઝેરી દવા ખવડાવતા આ કરુણ ઘટના બની હોવાની આશંકા ગ્રામજનોએ દર્શાવી છે. એકીસાથે આટલા પશુઓના મોત નિપજતા ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ સાથે અરેરાટી વ્યાપી ગઈ છે.

- text

આ કરુણ બનાવની પ્રાપ્ત થતી વિગતો મોરબીના બરવાળા ગામે સીમમાંથી આજે 28 જેટલા અબોલ પશુઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ અબોલ પશુઓને કોઈએ ઝેરી દવા વાળો ખોરાક ખવડાવી દેતા આ કરુણ ઘટના બની હોવાનું જણાવ્યું હતું. જો કે એકીસાથે એટલા પશુઓના મોત થવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને ગ્રામજનોમાં અરેરાટી મચી ગઇ છે. આ પશુઓના મોતની ઘટના અંગે પશુપાલન વિભાગ અને મામલતદારને જાણ કરવાની ગ્રામજનોએ તજવીજ હાથ ધરી છે. પશુ ડોકટરોની તપાસમાં આ અબોલ પશુઓના મોતની સાચી હકીકત બહાર આવશે.

- text