મોરબી : પેપરમીલ એસોસિએશનના હોદેદારોની નિમણુંક કરાઈ

- text


મોરબી : આજે તા. 27 નવેમ્બરના રોજ પેપરમીલ એસોસિએશનની જનરલ મિટિંગ યોજાઈ હતી. જેમાં પ્રવીણભાઈ મારવાણીયાએ પ્રમુખ તરીકે રાજીનામુ આપેલ હતું. તેમજ એસોસિએશનના નવા હોદેદારોની નિમણુંક કરાઈ હતી. પેપરમીલ એસોસિએશનની જનરલ મિટિંગમાં એસોસિયેશનના સભ્યોની હાજરીમાં પ્રમુખ તરીકે કિરીટભાઈ ફલતરીયા (તીર્થક પેપરમીલ) તથા ઉપપ્રમુખ તરીકે અમૃતભાઈ પટેલ (સેઝાન પેપરમીલ)ની નિમણુંક કરવામાં આવી હતી. સભ્ય તરીકે સુનિલભાઈ પટેલ (રાધેશ્યામ પેપરમીલ), ભાવેશભાઈ પટેલ (પનામા પેપરમીલ), બળદેવભાઈ પટેલ (વિલસન પેપરમીલ), પ્રવીણભાઈ પટેલ (સોહમ પેપર્સ પ્રાઇવેટ લિમિટેડ) નિયુક્ત કરાયા હતા. આ મિટિંગ દરમિયાન GPCPની નોટિસ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

- text