હળવદ પાલિકાના ગોડાઉનમાં છુપાવેલી 700 એલઇડી લાઇટ કોની?

- text


ચીફ ઓફિસર કહે છે આમાં અમારે કાંઈ લેવાદેવા નથી. જ્યારે પાલિકાનો કર્મચારી કહે છે આ તો મેં વેચાતી લીધી છે!!

હળવદ: હળવદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં અંધારા ઉલેચવા શહેરીજનો એલઇડી લાઇટ ફીટ કરવા પાલિકામાં વારંવાર રજૂઆતો કરતાં હોય છે. તેમ છતાં પણ અંધારા દૂર થતા નથી ત્યારે શહેરના શરણેશ્વર પાસે આવેલા તળાવ કાંઠે પાલિકાના ગોડાઉનમાં ૭૦૦થી વધુ એલઇડી લાઇટ સીલ બંધ પડી હોવાનું ધ્યાને આવતાં હળવદ કોંગ્રેસ પાલિકાના સદસ્ય અને વિરોધ પક્ષના નેતા દ્વારા આજે ગોડાઉનમાં તપાસ કરી લાઈટનો જથ્થો ઝડપી પાડી પાલિકાના કર્મચારીઓની હાજરીમાં રોજ કામ કરાવ્યું હતું. નવાઈની વાત તો એ છે કે ચીફ ઓફિસર કહે છે કે આ લાઈટો અમારી નથી જ્યારે પાલિકાનો કર્મચારી કહે છે કે એલઇડી લાઇટ તો મે વેચાતી લીધી છે! જ્યારે ઈસીએલનો કોન્ટ્રાક્ટર કહે છે કે લાઈટો અમારી છે ત્યારે કોણ સાચું કોણ ખોટું એ તો જો યોગ્ય તપાસ થાય તો જ બહાર આવશે.

એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં એએડી લાઈટો નાખવામાં નથી આવી અને જે વિસ્તારોમાં નાખવામાં આવી છે એમાની ઘણી બંધ હાલતમાં છે. ત્યારે શરણેશ્વર મંદિર પાસે આવેલ બગીચાના કેન્ટિંગનો હાલ નગરપાલિકા દ્વારા ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જે ગોડાઉનમાં ૭૦૦ જેટલી એલઇડી લાઇટ સીલબંધ હાલતમાં હોવાનું હળવદ કોંગ્રેસના પાલિકા સદસ્ય તેમજ વિરોધ પક્ષના નેતાને ધ્યાને આવતા ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેથી તપાસ કરાતા એલીડી લાઇટનો જથ્થો ગતરાત્રીના અમુક શખ્સો અન્ય જગ્યાએ ખસેડતા હોવાનું ધ્યાને આવતા તાત્કાલિક ગોડાઉનને તાળુ મારી દઈ આજે સવારના પાલિકાના કર્મચારીને બોલાવી રોજ કામ કરાવ્યું હતું. જેમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા.

- text

જ્યારે આ અંગે હળવદ ચીફ ઓફિસર સાગર રાડીયાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ઈએસએલ કંપનીને હળવદમાં એલેડી લાઈટ ફિટ કરવાનું કામ મળ્યું છે. જેમાં પાલિકાનો કોઈ રોલ નથી અને તે કંપની સીધું કામ કરતી હોય છે.

જ્યારે આ અંગે કોંગ્રેસના પાલિકા સદસ્ય વાસુદેવ ભાઈ પટેલે જણાવ્યું હતું કે શહેરના મોટાભાગના વિસ્તારોમાં એલઈડી લાઇટ બંધ છે અને ઘણા વિસ્તારોમાં નંખાઈ પણ નથી. ત્યારે આ એલઇડી લાઈટ શહેરમાં ફીટ કરવામાં કૌભાંડ આચરી આ જથ્થો હળવદ ભાજપના બે-ત્રણ આગેવાનો સગેવગે કરવાની ફિરાકમાં હોવાનું અમને જાણવા મળે છે. જેથી આ બાબત યોગ્ય તપાસ કરવામાં આવે. હાલ આ પ્રકરણ ટોક ઓફ ધ ટાઉન બન્યું છે ત્યારે એલ.ઇ.ડી. લાઇટમાં ભ્રષ્ટચાર કરી કોના ઘરમાં ઉજાશ કરવામાં આવનાર હતો તે સત્ય બહાર આવે ત્યારે ખરું એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text