- text
મોરબી : મોરબીમાં ગત તા. 15 સપ્ટે.ના રોજ જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા નગરપાલિકા ટાઉન હોલ ખાતે 10મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં આહીર સમાજના ધો. 10થી કોલેજ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, 15 નિવૃત કર્મચારીઓ તથા 14 વિશેષ સન્માનિત કર્મચારીઓ ઉપસ્થિત હતાં. આ કાર્યક્રમનું સંચાલન રરાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહંત જગન્નાથ મહારાજ, અધ્યક્ષ અમુભાઈ હુંબલ, આસિસ્ટન્ટ કમિશ્નર GST નિર્મલભાઈ ગોગરા સહિતના સમાજના અગ્રણીઓ તેમજ કાર્યક્રમના દાતા રમેશભાઈ રાઠોડ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખ અજયભાઇ ડાંગર, ભાનુભાઈ બાલાસરા સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
- text