મોરબીમાં શ્રી વૈષ્ણવ સાધુ સમાજ મોરબી દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબીમાં ગત તા. ૦૮.૦૯.૨૦૧૯ના રોજ મોરબી અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા વૈષ્ણવ સાધુ સમાજ ના તમામ તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ શ્રી રોકડીયા હનુમાન મંદિર, નવલખી રોડ ખાતે યોજવામાં આવેલ હતો. જેમાં બહોળી સંખ્યામાં સાધુ સમાજના પધારેલા બધા જ સંતો, મહંતો, પ્રમુખો અને સાધુ સમાજના અગ્રણીઓ તેમજ આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં સમાજના દરેક તેજસ્વી તારલાઓનું અભ્યાસ માટેની કીટ અર્પણ કરીને સન્માન કરવામાં આવેલ હતું અને તેમને નજીકના ભવિષ્યમાં ઉતરોતર પ્રગતિ કરી સમાજનું નામ અને પોતાનું ભવિષ્ય ઊજળું બનાવે તેવી શુભેચ્છા આપવામાં આવેલ હતી. આ પ્રસંગ દરમિયાન વૈષ્ણવ સાધુ સમાજના પ્રમુખ યોગેશભાઈ હરિયાણી તેમજ ઉપપ્રમુખ નવનીતભાઇ દુધરેજીયા તથા સમાજના દરેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દરેક સંતો, મહંતો અને સમાજના અગ્રણીઓ જેમને આ પાવન અવસર પર હાજરી આપી અને પોતાના આશીર્વચન પાઠવેલ હતાં. જેના બદલ સમસ્ત મોરબી વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text