ટંકારાના ખાખરા ગામેથી 240 લોકોનું સ્થળાંતર કરાવાયું

- text


ટંકારા : ટંકારાના ખાખરા ગામે કેડ સુધીના પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા 240 લોકોનું અધિકારી અને પદાધિકારીઓની ટીમ દ્વારા સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.

- text

મળતી વિગત મુજબ આજે સૌરાષ્ટ્રમા સાર્વત્રિક ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે આજી નદી બન્ને કાંઠે વહેવા લાગતા ટંકારા તાલુકાના ખાખરા ગામે કેડ સુધીના પાણી ભરાઈ ગયા હતાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસી ગયા હતા. જેથી ટીડીઓ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ સહીતનાની ટીમે 240 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડીને તેઓ માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરી હતી.

- text