માળીયા : ફળિયામાંથી બકરા કાઢવાના મુદે વૃદ્ધને માર માર્યો

- text


 

પાડોશી દંપતિ સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

માળીયા : માળિયાના નિરુબેનનગર ગામે ફળિયામાંથી બકરા કઢાવના મુદે બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયા બાદ પાડોશી દંપતીએ વૃદ્ધ સહિત બે વ્યક્તિને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાતા માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

આ મારામારીના બનાવની માળીયા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા તાલુકાના નિરુબેનનગર ગામે રહેતા રામજીભાઈ જગુભાઈ કોળી ઉ.વ.70 નામના વૃદ્ધએ તે જ વિસ્તારમાં રહેતા લાખાભાઈ ખેંગારભાઈ કોળી અને વજીબેન ખેંગારભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી કે ,સાહેદને આરોપીઓ સાથે તેના ફળિયામાંથી બકરા કાઢવાના મામલે બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા બન્ને આરોપીઓ ફરિયાદી તથા સાહેદ પુનીબેનને ઢીકાપાટુ તથા ધોકા વતી માર માર્યો હતો.આ બનાવ અંગે વૃદ્ધએ ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપીને બીજા આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text