- text
મોરબી : મોરબીના ભગવતી પાર્કમાં રહેતા વૃદ્ધાએ બીમારીથી કંટાળીને ઘરમાં રહેલુ એસિડ પી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું.
બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ સ્થિત આવેલા ભગવતી પાર્કમાં રહેતા 70 વર્ષીય મુક્તાબેન ધીરજલાલ માણેકે બીમારીથી કંટાળી જઇ પોતાના ઘરમાં રહેલું એસિડ ગટગટાવી લીધું હતું. પરિવારને જાણ થતાં વૃદ્ધાને હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન એમનું મોત નીપજ્યું હતું. મોરબી એ.ડીવી.પો.સ્ટેમાં ગુન્હાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
- text
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne
- text